Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બ્રિટનમાં નવી સરકાર સત્તા પર આવવા સાથે ભારત સાથેની મુકત વેપાર કરાર પરની વાટાઘાટ વર્તમાન મહિનામાં ફરી શરૂ થવાની શકયતા

  • July 09, 2024 

બ્રિટનમાં નવી સરકાર સત્તા પર આવવા સાથે ભારત સાથેની મુકત વેપાર કરાર પરની વાટાઘાટ વર્તમાન મહિનામાં ફરી શરૂ થવાની શકયતા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. બ્રિટન તથા ભારતમાં સામાન્ય ચૂંટણી પહેલા બન્ને દેશો વચ્ચે યોજાયેલા મંત્રણા લગભગ અંતિમ તબક્કામાં હતી અને કેટલાક મુદ્દાનો ઉકેલ લાવવાનો બાકી હતો જે હવે ઉકેલાઈ જવાની શકયતા છે. ભારતમાં અગાઉની સરકાર જ પ્રસ્થાપિત થઈ છે.


જ્યારે બ્રિટનમાં શાસકો બદલાયા છે. જાન્યુઆરી 2022થી બંને દેશો વચ્ચે વેપાર કરારને લઈને વાટાઘાટો ચાલી રહી છે. અત્યાર સુધી 13 બેઠકો યોજાઈ ગઈ છે. ગયા સપ્તાહના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલી વાતચીતમાં બ્રિટનનાં નવા પ્રધાન મંત્રી કેર સ્ટાર્મરે યુકે કરારને અંતિમ રૂપ આપવા ઉત્સુક હોવાનું જણાવ્યું હતું. ભારતના ઉદ્યોગો અહીંના સ્કીલ્ડ વ્યવસાયીકોને યુકેમાં આઈટી તથા આરોગ્ય સંભાળ જેવા ક્ષેત્રોમાં વ્યાપક જોડાણ ઉપરાંત કેટલાક માલસામાન પર બ્રિટનમાં શૂન્ય કસ્ટમ્સ ડયૂટી લાગુ થાય તેમ ઈચ્છી રહ્યા છે. કેર સ્ટાર્મરની લેબર પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં ભારત સાથે વેપાર કરાર માટે બાયંધરી આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application