Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ બેઠકમાં તાપી જિલ્લા માંથી કોણ-કોણ હાજર રહ્યું ?-વિગત જાણો

  • July 11, 2021 

અમદાવાદના કર્ણાવતી ખાતે આવેલ ઓસવાલ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિચાર મંચ IT પ્રદેશ કારોબારી બેઠક આજરોજ યોજાઈ હતી. જેમાં કર્ણાવતીના પ્રથમ નાગરિક મેયર  શ્રીસંઘના સ્વયંસેવક કર્મનિષ્ઠ કાર્યકર્તા કિરીટ પરમાર વિશેષ ઉપસ્થિતિ રહયા. જેમાં ગુજરાત પ્રદેશના દરેક જિલ્લામાંથી મંચના સંગઠન પ્રમુખ, મહામંત્રીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા બેઠકમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય સુરેન્દ્રભાઈ જીરાવાલાજી, પ્રદેશ અધ્યક્ષ રેખાદીદીજી, સંગઠન મહામંત્રી હિતેશગિરી ગોસ્વામીજી નો માર્ગદર્શન રહ્યું હતું.

 

 

 

 

તાપી જિલ્લામાંથી તાપી જિલ્લા સંગઠનમંત્રી કૌશિક વસાવ, તાપી જિલ્લા ઉપાધ્યક્ષ રીત્વિક પરેશભાઇ વસાવ, ઉચ્છલ તાલુકા પ્રમુખ રામઅવતાર, સંગઠનમંત્રી દિલીપભાઈ ગામીત, ઉચ્છલ તાલુકાના ઉપાધ્યક્ષ હરીશભાઈ વસાવા, મલામજીભાઈ ગામીત, મંત્રી રામચંદ્રભાઈ વસાવા, કુકરમુંડા તાલુકા પ્રમુખ કમલેશભાઈ વસાવા ઉપસ્થિત રહી નરેન્દ્ર મોદી વિચાર મંચના ઉદ્દેશ, નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યો, એની સંગઠન પદ્ધતિ વિશે વિશેષ રીતે જાણકારી આપવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application