Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોવાળદેવ ગામે મળેલ બંને યુવકના મૃતદેહોના પેનલ પીએમ

  • February 11, 2021 

વ્યારા તાલુકાનાં રૂપવાડા ગામના બે મિત્રો રાતે લગ્નમાં જવાનું કહીને બાઈક પર નીકળ્યા હતા. ત્યારબાદ બંને યુવકોની લાશ કાજણ ગોવાળદેવ મંદિર પાછળ સાગના ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં સોમવારે સાંજે મળી હતી અને મંગળવારે બે ડોકટરો દ્વારા પેનલ પી.એમ. કરી જરૂરી નમુના લેવાયા હતા.

 

 

રૂપવાડા આંબલી ફળિયામાં રહેતા બંને યુવકો, અનીલ ચૌધરી(ઉ.વ.21) તથા જગદીશ ચૌધરી(ઉ.વ.22) મિત્રો હતા અને બંને મિત્રો છૂટક કડિયા  કામ કરતા હતા. રવિવારે રાત્રે અનીલ અને જગદીશ કેળકુઈ લગ્નમાં જવા બાઈક પર નીકળ્યા હતા અને બીજા દિવસે કાજણ ગામની હદમાંથી ગોવાળદેવ મંદિરમાં પાછળ યુવકો ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

 

 

આ ઘટના અંગે મરનારના પરિવારજનોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવ્યા હતા. મંગળવારે સવારે વ્યારા જનરલ હોસ્પિટલમાં બે ડોકટરો દ્વારા બંને યુવકના મૃતદેહોના પેનલ પી.એમ કરાયા હતા.        


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application