Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ : બાઈકની અડફેટે આવતાં રાહદારીનું મોત

  • February 10, 2021 

સોનગઢ તાલુકાના જાડપાટી ગામના નિશાળ ફળીયામાં રહેતા 60 વર્ષીય શિવાજીભાઈ રવીયાભાઈ ગામીત જે ઉચ્છલ તાલુકાના ચચરબુંદા ગામથી જૂની થુંટી તરફ જતા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા.

 

 

તે સમય દરમિયાન પુલિયા પાસે હીરો હોન્ડા સી.ડી.ડીલક્ષ નંબર જીજે/26/ઈ/9188નાં ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી શિવાજીભાઈને અડફેટે લીધા હતા, આથી પટકાયેલા શિવાજીભાઈને ગંભીર ઈજા પહોંચતા સોનગઢ સરકારી દવાખાને ખસેડાતા આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે અકસ્માત કરનાર મોટરસાઈકલ ચાલક સામે ઉચ્છલ પોલીસેમાં રસિકભાઈ ચૌધરીએ ફરિયાદ આપતા વધુ તપાસ હાથ ધારી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application