Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન અડફેટે આવી જતાં બે યુવકના મોત નીપજ્યાં

  • September 13, 2023 

વલસાડ રેલવે સ્ટેશન ઉપર અકસ્માતના બે બનાવમાં મોડી રાત્રે શહેરના પારડી સાંઢપોરનો અને સુરતના ગોડદરાના રિક્ષા ચાલકનું ટ્રેન અડફેટે આવી જતાં મોત નિપજ્યું હતું. આ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતાં બંનેનાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ જી.આર.પી. પોલીસમાં એડીના બે બનાવ પૈકી પારડી સાંઢપોરમાં હનુમાન ફળિયા પાસે રહેતો મિતેશ રાઠોડ નામનો યુવક મોડી રાત્રે રેલવે લાઇન ક્રોસ કરવા જતાં વડોદરા-વલસાડ ઇન્ટરસિટી ટ્રેનની અડફેટે આવી ગંભીર ઇજા પામતા મોતને ભેટ્યો હતો.



જ્યારે બીજા એક બનાવમાં સુરતના ગોડદરા વિસ્તારમાં રહેતો રિક્ષા ચાલક નંદકિશોર માંડલ વલસાડ કોર્ટમાં કોઇક કેસના કામકાજ અર્થે આવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે રેલવે સ્ટેશને આવ્યા બાદ કોઇક પેસેન્જર ટ્રેનમાં ચઢતી વેળા નીચે પડી જતાં ગંભીર ઇજાના પગલે મોત થયું હતું. આ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં 108ના કર્મચારી સાગર પટેલ અને કેતન રાઠોડે સ્ટેશને પહોંચી બંને મૃતકોના મૃતદેહના પીએમ માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે જી.આર.પી. મથકે એડી નોંધી જમાદાર બચુભાઇ અને મનિષભાઇે વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application