સુરત જિલ્લાનાં કામરેજ તાલુકામાં કરૂણ ઘટના ઘટી છે સુરતથી કામરેજના ગલતેશ્વર મહાદેવ ફરવા આવેલા પાંચ લોકોમાંથી ત્રણ લોકો તાપી નદીમાં ડૂબી જતાં મોત નિપજ્યા હતા. જેમાં એક મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિરે સુરતથી પાંચ લોકો ફરવા આવ્યા હતા. આ દરમિયાન મંદિર પાસે વહેલી તાપી નદીમાં એક મહિલા અને બે પુરૂષો ડૂબી જતાં મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેયના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application