Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પંજાબનાં ફિરોઝપુરમાં એક જ પરિવારનાં ત્રણ લોકોની અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી નાંખી

  • September 03, 2024 

પંજાબનાં ફિરોઝપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોની અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી નાખી છે. આ ઘટના આજે બપોરે બની છે. હુમલાખોર બાઈક પર આવ્યો હતો. લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના ગુરુદ્વારા અકાલગઢ સાહિબ સામે બની હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે કારમાં પાંચ લોકો સવાર હતા.


આ ઘટનામાં એક મહિલાનું પણ મોત થઈ ગયું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મૃતક યુવક દિલપ્રીત સિંહ (ઉ.વ.29) પર હત્યાના બે કેસ નોંધાયેલા છે. બાકી મૃતકોમાં દિલજીતની બહેન અને પિતરાઈ ભાઈ સામેલ છે. મહિલાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે બાકી બંનેએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, બાઈક પર બે નકાબધારી શખ્સ આવ્યા અને કારને રોકાવી. કાર ઊભી રેતા જ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. ઘટના બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પ્રાપ્ત માહિતી પ્રમાણે કારમાં સવાર યુવતીના લગ્ન હતા અને તેના માટે જ બધા ખરીદી કરવા જઈ રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News