Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં આગામી 45 દિવસ ઘણાં જ મહત્વના, કાળજી નહી રખાય તો બીજી લહેરની જેમ ગંભીર દર્દીઓની સંખ્યા વધી શકે

  • January 04, 2022 

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ રોકેટ ગતીએ આગળ વધી રહ્યાં છે તેમાં પણ આગામી ૪૫ દિવસ સુરત માટે ઘણાં જ મહત્વના બની રહે છે. સુરતીઓ પુરતી કાળજી નહી રાખે તો બીજી લહેરની જેમ ગંભીર દર્દીઓની સંખ્યા વધી શકે છે. ઓમિક્રોન માઈલ્ડ લક્ષણનું લોકો માની રહ્યાં છે પરંતુ તકેદારી ન રખાય તો મુશ્કેલી વધી શકે છે. સુરત મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, બીજી લહેરમાં 5 એપ્રિલના દિવસે કોરોનાના કેસ વધુ હતા.પરંતુ હોસ્પીટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 19 એપ્રિલના રોજથી વધી હતી. હાલમાં સુરતમાં કેસ સતત વધી રહ્યાં છે તેમાં પણ જો સુરતીઓ કાળજી નહી રાખે તો મુશ્કેલી થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. તેમણે વધુમા જણાવ્યું હતું કે, આગામી 45 દિવસ સુરત  શહેર માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ દિવસોમાં સુરતીઓ કોરોનાના નિયમનું ચુસ્ત પાલન નહી કરે તો દર્દીઓની સંખ્યા સાથે હોસ્પીટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી શકે તેમ છે. જે લોકોએ વેક્સીન લીધી નથી તેમણે લઇ લેવી જોઇએ. ઉપરાંત આગામી દિવસોમાં પોતે અને પરિવારને બચાવવા માટે નિયમોનું પાલન કરવું જરુરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application