Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રેલવે ફાટક LC-5નું સમારકામ શરૂ થતા વૈકલ્પિક માર્ગે જવા અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

  • July 01, 2021 

પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જે અંતર્ગત સુરત શહેર વિસ્તારમાં અમરોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમા હજીરા કૃભકો કંપનીની રેલવે લાઇન આવેલી છે, તે રેલવે લાઇનમાં મોજે અમરોલી-સાયણ રોડ પર કૃભકો રેલવે ફાટક LC-5 આવેલો છે. જે રેલવે લાઇનનાં (KK3/4 અને KK3/4 ની વચ્ચે) રેલવે ફાટક LC-5 નું સમારકામ કરવાની કામગીરી કૃભકો કંપની દ્વારા તા.૨૯/૦૬/૨૦૨૧ના કલાક ૦૮:૦૦ થી તા.૦૧/૦૭/૨૦૨૧ના કલાક ૦૮:૦૦ સુધી કરવામાં આવશે.

 

 

 

 

જે દરમિયાન રેલવે ફાટક નંબર LC-5 ઉપરથી લોકોની અવર-જવર થાય અને આ રેલવે લાઇનની સમારકામની કામગીરી કરવામાં આવતા-જતા વાહનો દ્વારા અવરોધ ઉભો થાય તેવી પરિસ્થિતી છે. ટ્રાફીક અવરોધ ઉભો ન થાય તેમજ જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે લોકહિતમાં વાહનો માટે ટ્રાફીક ડાયવર્ઝનના વિકલ્પ તરીકે વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર નેશનલ હાઈવે તરફથી હજીરા આવતા વાહનો ગોથાણગામ-દેલાડગામ થઇ સાયણ રોડ મારફતે જહાંગીરપુરા-હજીરા તરફ જઇ શકશે.

 

 

 

 

આ ઉપરાંત અમરોલી તથા વરીયાવ ગામ તરફથી આવતા વાહનો મોટા વરાછા સ્વામીનારાયણ સર્કલથી દુખીયાનો દરબાર રોડ થઇ વેલંજા સાયણ તરફ તથા મોટા વરાછાથી અબ્રામા ચેકપોસ્ટ થઇ અબ્રામાગામ થઇ કઠોર ગામ તરફ થઇ નેશનલ હાઈવે તરફ જઈ શકશે. આ જાહેરનામાનો ઉલંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application