Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં કાપડ વેપારીનું કાર્ડિયાક ટેસ્ટિંગ કરતી વખતે તબિયત બગડતા મોત

  • December 04, 2021 

સુરત શહેરનાં વેસુ ખાતે રહેતા કાપડ વેપારી સીટી લાઇટની ક્લિનિકમાં કાર્ડિયાક ટેસ્ટિંગ કરતા હતા. ત્યારે તેમની અચાનક તબિયત લથડતા મોત નીપજ્યું હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ વેસુ ખાતે કેનાલ રોડ પર એન્જોય રેસિડેન્સીમાં રહેતા 51 વર્ષીય કાપડ વેપારી અનિલભાઈ બચ્છરાજભાઈ સિંધી શુક્રવારે બપોરે સીટી લાઇટ ખાતે મિરાજ ક્લિનિકમાં કાર્ડિયાક ટેસ્ટિંગ કરવા માટે ગયા હતા. તે સમયે તેમનો ટેસ્ટિંગ કરતી વખતે અચાનક તબિયત બગડતા પડી ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદમાં તેમના મૃતદેહને નવી સિવિલ ખાતે ખસેડાયો હતો ત્યાં પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે કહ્યું કે, તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા છે પણ તેમના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે. બનાવ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application