Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં બંધ ઘરનું તૂટ્યું તાળું, રોકડા તેમજ સોના-ચાંદીના ઘરેણાં ચોરી કરી ચોરટાઓ ફરાર

  • September 27, 2021 

વ્યારા નગરનાં એક સોસાયટીમાં બંધ ઘરનું તાળું તોડી અજાણ્યા તસ્કરો રોકડા રૂપિયા તેમજ સોના-ચાંદીના ઘરેણાં સહિત કુલ રૂપિયા 3,61,000/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

 

 

 

 

 

મળતી માહિતી મુજબ, વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ વૃંદાવન ધામ સોસાયટીમાં ઘર નં-56માં રહેતી આરતીબેન ગણેશભાઈ સોનાર પરિવાર સાથે વસવાટ કરે છે. આરતીબેનના પતિ ગણેશભાઈ ભાસ્કરભાઈ સોનાર ગત તા.25મી સપ્ટેમ્બરના રોજ સવારે પોતાના વતન મહારાષ્ટ્રના પાચોરા ખાતે ગયા હતા જેથી ઘરે તેમના પત્ની અને પુત્રી એકલા જ હતા તેથી સાંજે આરતીબેન પોતાના ઘરે દરવાજાને તાળું મારી નજીકમાં જ રહેતા નણંદના ઘરે જમવા માટે ગયા હતા અને તેઓ રાત્રીના સમયે ત્યાં જ રોકાઈ ગયા હતા.

 

 

 

 

 

તે દરમિયાન પાછળથી કોઈક અજાણ્યા ચોર ઇસમોએ દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તેમણે ઘરમાં રહેલ તમામ ચીજ વસ્તુઓ વેર વિખેર કરી દીધી હતી અને રસોડા સહિત જુદા-જુદા સ્થળે મુકેલ રોકડા રૂપિયા 7300/- તેમજ કબાટના ખાનામાં મુકેલા સોનાની ચેઇન, બુટ્ટી અને વીંટી મળી કુલ 47 ગ્રામ જેટલું સોનુ અને ચાંદીના ઘરેણાં અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 5.525 કિલો જેટલી ચાંદીની વસ્તુઓ પણ ચોરી લીધા બાદ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ સવારે 8.30 કલાકે આરતીબેન  પોતાના ઘરે પરત આવતા દરવાજાનો નકુચો તૂટેલો જોયો હતો અને તપાસ કરતા ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આ બનાવમાં રોકડા અને દાગીના મળી કુલ રૂપિયા 3,61,000/-ની ચોરીની  ફરિયાદ આરતીબેનએ વ્યારા પોલીસ મથકે નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application