Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં શ્રીરામ તળાવમાં સાફ-સફાઈના અભાવથી લોકોમાં જોવા મળ્યો રોષ

  • September 07, 2021 

વ્યારા નગરમાં આવેલા શ્રીરામ તળાવમાં સાફ સફાઇના અભાવે તેમજ ઘાસચારો દૂર ન કરાતાં તળાવની મુલાકાતે આવતા મુલાકાતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બાગમાં ઠેર-ઠેર ઊગી નીકળેલા ઘાસચારાની સાફ સફાઈ ન કરાવતા રસ્તે ચાલતાં લોકોમાં મુશ્કેલી વધી ગઈ છે. શ્રીરામ તળાવની મુલાકાત લેવા આવતા લોકો નગરપાલિકાની બેદરકારી બાબતે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સરકાર દ્વારા કોરોના દરમિયાન વ્યારા નગરના વિવિધ બાગ-બગીચાઓ પ્રજાજનો માટે બંધ કરી દેવાયા હતા. પરંતુ બે મહિના પહેલા ગાઈડલાઈનમાં બાગ બગીચાઓ ખોલવાની છૂટ અપાઈ હતી. જેને લઇને વ્યારા નગરના તમામ બાગ બગીચાને પ્રજાજનો માટે ખોલી દેવાયા હતા.

 

 

 

 

 

વ્યારા નગરમાં બગીચા ખોલાયાને પણ બે મહિના થઇ ગયા હોવા છતાં તેની જરૂરિયાત મુજબ સા સફાઈ ન થતા બાગની અંદર આવેલા વિવિધ ગાર્ડનમાં બે ફૂટ જેટલું ઘાસનો સામ્રાજ્ય છવાઈ ગયું છે. જ્યારે સહેલાણીઓ માટે બનાવેલો વૉક-વે પર ઘાસ આવી જતા બાગની મુલાકાત અને ચાલવા માટે આવતા સહેલાણીઓને મુશ્કેલી વધી રહી છે. નગરપાલિકા દ્વારા બાગની મુલાકાત માટે મુલાકાતીઓ માટે ચાર્જ લેવાય છે. ત્યારે સહેલાણીઓને તે બાબતે પૂરતી સુવિધા ન અપાતા ભારે રોષ વ્યાપી રહ્યો છે વ્યારા નગરપાલિકા દ્વારા તાકિદે નગરની શોભા વધારતા શ્રીરામ તળાવની અંદર સાફ સફાઈ કરાવે તેમજ અંદર ઊગેલા ઘાસને દૂર કરાવે તેવી માંગ ઉઠી છે. નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈના ખર્ચ ચોપડે બોલવાય છે. ત્યારે નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બાગ બગીચામાં મુલાકાત લે છે પરંતુ સાફ સફાઈ બાબતોને પણ ગંભીરતા દાખવવી જરૂરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application