Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છીરમાં ગામે અસ્થિર મગજનાં 50 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો

  • February 09, 2021 

વ્યારા તાલુકાનાં છીરમાં ગામે અસ્થિર મગજના આધેડ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે પોલીસ તપાસ કરતાં મહિલાની ઓળખ થઈ હતી અને પરિવારજનોને વૃદ્ધનાં મોત અંગે જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.

 

 

 

વ્યારા તાલુકાના ઉમરકુઇ ગામમાં જાનુબેન માધુભાઈ ચૌધરી(ઉ.વ.50) રહે છે જેઓ છેલ્લા દસ વર્ષથી અસ્થિર મગજના હોય ગામમાં તેમજ આજુ-બાજુના ગામમાં રખડ્યા કરતા હોય છે તેમજ સાંજે ફરી ઘરે આવતા રહે છે. જાનુબેન તેમના ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે આવ્યા ન હતા બીજી તરફ સિરમાં ગામે કોઈ વૃદ્ધાની લાશ મળ્યા આવી હોવાની વાત પોલીસને થતા પોલીસે તપાસ કરતા મૃતદેહ જાનુબેન ચૌધરી નો હોવાનું બહાર આવતા પોલીસે પરિવારને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં શારીરિક અશક્તિ ના કારણે જાનુબેનનું મોત નીપજ્યું હોવાથી વ્યારા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application