Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં બોરકુવા ગામની મહિલા આચાર્યનાં જામીન રદ કરાયા

  • February 20, 2021 

સોનગઢ તાલુકાનાં બોરકુવા ગામમાં આદર્શ આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દમયંતીબેન માનજીભાઈ ચૌહાણએ એક કર્મચારી પાસે સાતમા અને પાંચમા પગાર પંચના સ્ટીકર મેળવી તેમજ ઉચ્ચતર પગાર ધોરણની ફાઈલ તૈયાર કરવા સાથે સર્વિસબુક સ્કેન કરવા 20 હજારની લાંચ માગી હતી.

 

 

 

કર્મચારી લાંચ આપવા માંગતા ન હોય જેથી તાપી એસીબી નો સંપર્ક કર્યો હતો. જેની ફરિયાદના  આધારે 10 ફેબ્રુઆરીએ એસીબી દ્વારા વ્યારા-ઉનાઈ રોડ પર પાણીની ટાંકી સામે જાહેરમાં મહિલા  આચાર્યને લાંચ લેતા ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. એસીબી દ્વારા આચાર્યને કોર્ટમાં રજુ કર્યા બાદ કોર્ટનાં જજે જામીન રદ કરી તેમને કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application