Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં મોરદેવી ગામે ઉપસરપંચે શરીરે કેરોસીન છાંટી કર્યો આપઘાત

  • August 02, 2021 

તાપી જિલ્લાનાં વાલોડ તાલુકાનાં મોરદેવી ગામે ગતરોજ બપોરના સમયે હળપતિવાસમાં રહેતા મોરદેવી ગામના માજી ઉપસરપંચ અરવિંદભાઈ રાઠોડ માનસિક તાણમાં રહેતા હતા જેથી સવારે 10 વાગ્યાના સમયે તેમના પત્નીએ નદી કિનારે માછલા પકડવા જવાનું કહી ઘરેથી નીકળી ગયા હતા.

 

 

 

ત્યારબાદ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેમને બસ સ્ટેન્ડની પાછળ આવેલ હાટ બજારમાં મેદાનમાં પોતાના શરીર પર કેરોસીન છાંટી આગ ચાપી દીધી હતી. તેને બચાવવા માટે ફળિયાના યુવકો તેના ઉપર પાણી નાખી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ યુવકોને સફળતા ન મળી. માજી સરપંચે જીવન ટૂંકાવી દેવાની ઘટનાને પગલે મોટા ભગાના લોક ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ લોકોએ 108નો સંપર્ક કરી જેથી 108માં ફરજ બજાવતા ડોકટરે અરવિંદભાઈને તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application