Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : નિઝર ખાતે લોકોમાં રસીકરણ બાબતે ગેરમાન્યતા અને અફવા દુર કરવામાં આવી

  • May 27, 2021 

કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના અનુસંધાને સમગ્ર રાજ્યમાં યુદ્ધના ધોરણે રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તાપી જિલ્લાના અંતરિયાળ તાલુકાઓમાં રસીકરણની કામગીરી વધારવા માટે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ છેવાડાના વિસ્તારોમાં ગામોની રૂબરૂ મુલાકાત કર્મચારી-અધિકારીઓ દ્વારા લેવામાં આવી રહી છે. લોકોમાં રસીકરણ બાબતે ગેરમાન્યતાઓ અને અફવાઓને દુર કરી લોક્જાગૃતિ કેળવવા આરોગ્ય વિભાગ સહિત વિવિધ વિભાગો દ્વારા અંતરિયાળ વિસ્તારના ગામોની સ્વયં લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

 

 

 

 

જિલ્લાના નિઝર તાલુકાના જુનીભીલભવાલી ગામે મામલતદાર નિઝર, તાલુકા વિકાસ અધિકારી, મુખ્ય શિક્ષક, આશાવર્કરના સંકલનથી ગ્રામજનોને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા છે. કોરોના સંદર્ભે પ્રવર્તમાન અફવાઓ બાબતે સાચી માહિતી આપી અજ્ઞાનતા દુર કરવામાં આવી હતી. દરેક કુટુંબના સભ્યો સાથે રસી ન લેવાનુ કારણ જાણી ચર્ચા કરી કોરોના મહામારીથી બચવા વેક્સિનેશન કારગર ઉપાય છે તેની સમજ આપવામાં આવી છે. જેના પગલે ગ્રામજનો કોરોના પ્રતિરોધક રસી મુકાવવા સંમત થયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application