Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં કુંભિયા ગામે જૂની અદાવત રાખી પિતરાઈ ભાઈએ લાકડીના સપાટા મારતા ઇસમનું મોત

  • November 26, 2021 

ડોલવણ તાલુકાનાં કુંભિયા ગામે એક ઈસમને પિતરાઈ ભાઈએ જૂની અદાવત રાખી લાકડીના સપાટાથી માર મારતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ડોલવણના કુંભિયા ગામનાં નદી ફળિયામાં રહેતા મનિષાબેન સંતોષભાઈ ચૌધરીએ ફરિયાદ આપતા જણાવ્યું છે કે, પાડોશમાં ઘર ધરાવતાં મરણ જનાર સંતોષભાઈના પિતરાઈ ભાઈ ગણેશભાઈ ચૌધરીએ ઘરમાં આવી લાકડી વડે આડેધડ માર મારી રહ્યા હતા.તે સમયે લગ્નમાંથી જમી પરવારી સંતોષભાઈના પત્ની મનીષાબેન આવી જતાં તેમણે સંતોષભાઈને છોડાવ્યા હતા અને ઝઘડાનું કારણ પૂછતા શંકરભાઈના પત્નીએ જણાવેલ કે લગ્ન ગામમાં હોય શંકરભાઈ મરણ જનાર સંતોષને લગ્નમાં જમવા જવાનું કહેતા હતા પરંતુ બાજુમાં ઘર ધરાવતાં ગણેશભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ ત્યાં આગળ દોડી આવી સંતોષભાઈને નાલાયક ગાળો આપી, શંકરભાઈને લાકડીથી માર મારતા કહેતા હતા કે તારી કાયમની મગજ મારી છે, તું ઘર બાબતે પણ મારી સાથે લડતો ઝઘડતો રહે છે આજે તને પૂરો કરી નાખું એમ કહી માર મારતા મારતા ગંભીર ઇજાઓ આવી હતી.જોકે તે દરમિયાન કોઇએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા સંતોષભાઈને તેમના પત્ની 108 એમ્બ્યુલન્સમાં બેસાડી ગડત સરકારી દવાખાને સારવાર અર્થે લઇ ગયા હતા. ત્યાથી વ્યારા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને ત્યાથી ફરી વ્યારા લવાઇ રહ્યા હતા. ત્યારે સંતોષભાઈની તબિયત વધુ બગડતાં તેમને વ્યારા જનરલ હોસ્પિટલમાં પરત લાવ્યા હતા. ત્યારે ફરજ પરના ડોક્ટરે સંતોષભાઈને મરણ જાહેર કરેલ હતા. બનાવ અંગે ડોલવાણ પોલીસે ગણેશભાઈ ચૌધરી સામે ગુનો નોંધી તેની ધરપકડ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application