Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના કુંભારવાડામાં આવેલ શાકભાજી માર્કેટ અન્ય સ્થળે ખસેડવા માટે સ્થાનિકોની માંગ

  • September 13, 2021 

વ્યારા નગરના કુંભારવાડમાં આવેલા શાકભાજી માર્કેટના કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકો દ્વારા શાકભાજી માર્કેટને અન્ય સ્થળે ખસેડવા માટે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરી રહ્યા છે. પરંતુ નગરપાલિકા દ્વારા યોગ્ય નિરાકરણ ન કરતા સ્થાનિકોમાં રોષ વ્યાપી રહ્યો છે. આ અંગે કુંભારવાડના રહીશો દ્વારા જણાવ્યા મુજબ, વ્યારાના કુંભારવાડ વિસ્તારમાં શાકભાજી માર્કેટ આવેલું છે. જે શાકભાજી માર્કેટના કારણે સ્થાનિક રહીશોને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને સ્થાનિકો દ્વારા અવર-જવર કરવા માટે ખુલ્લી જગ્યા અને શાકભાજી માર્કેટને અન્ય સ્થળ કરવા માટે વ્યારા નગરપાલિકામાં ચારથી પાંચ વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ પગલા ના લેતા સ્થાનિકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.

 

 

 

 

 

આ અંગે વધુમાં જણાવ્યા મુજબ નગરના અને અન્ય વિસ્તારમાં પીવાના પાણી એક કલાક સુધી સપ્લાય કરવામાં આવે છે ત્યારે કુંભાર માત્ર વીસ જ પાણી આપવામાં આવે છે તે પ્રશ્ન પણ મુશ્કેલી ભર્યો છે. વ્યારા નગરપાલીકા દ્વારા કુંભારવાડના વિસ્તારના શાકભાજી માર્કેટના પ્રશ્ન અને પાણીના પ્રશ્ને તાકિદે હલ કરે એવી માંગ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવું રહ્યું કે સ્થાનિકોની રજૂઆત બાદ આ સમસ્યાને ઉકેલવા તંત્ર કેવું વલણ અપનાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application