Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના મહિલા સરપંચ જયોતિબેન નાયકનું અવસાન

  • April 09, 2021 

વાલોડ નગરના સરપંચ જયોતિબેન નાયકનું કોરોનાથી મોત થતા નગરમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. વેક્સિન લીધા બાદ તાવ જ ન ઉતાર્યો અને તબિયત લથડી પડી હતી. વાલોડમાં ચેકઉપ કરાવતા તેમનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા નવસારી સારવાર માટે લઈ જવાયા હતા. ત્યારબાદ વ્યારા કોવિડ-19માં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર બાદ તેમનું મોત થયું હતું.

 

 

 

જ્યોતિબેન છેલ્લા સાડા ચાર વર્ષથી વાલોડ ગ્રામપંચાયતનો પદભાર સંભાડી ગામના અનેક વિકાસકીય કાર્યોને વેગ આપવાનું ભગીરથ કાર્ય મહિલા સરપંચએ કર્યું હતું. વર્ષોથી કોંગ્રેસ કાર્યકર્તા તરીકે શરૂઆત કરી હતી અને વાલોડ તાલુકા મહિલા કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે પણ સેવા બજાવી સંગઠનને મજબુત બનાવવા અથાગ પ્રયાસો કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application