Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અપક્ષ ઉમેદવારોએ ભાજપનો ઉલ્લેખ કરી ચુંટણી આચારસંહિતાનો ભંગ કર્યો

  • February 21, 2021 

વ્યારામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સદર્ભે વ્યારાના વોર્ડ નંબર-7ના અપક્ષ ઉમેદવારો અજયસિંહ રાજપૂત, નીતાબેન પારેખ, લતાબેન ચૌધરી દ્વારા તેમના હેન્ડબીલ ઉપર પોતાના ફોટા તથા ચુંટણી નિશાન સાથેની જાહેરાતો રજુ કરતી પત્રિકા કે જે, અજયસિંહ રાજપૂત દ્વારા પોતાના ફેસબુક ઉપર મુકવામાં આવ્યા છે તેમાં ભાજપા વ્યારાનો લખાણ કરીને છાપેલું છે.

 

 

 

અપક્ષ ઉમેદવારોએ ભાજપનો ઉલ્લેખ કરી ચુંટણી આચારસંહિતાનો ભંગ કર્યો છે. અપક્ષ ઉમેદવારો દ્વારા ભાજપના નામનો ઉપયોગ કરીને ખોટા રીતે પ્રચારનું માધ્યમ સોશીયલ મીડિયા ઉપર કરેલું હોવાની લેખિત રજૂઆત ભાજપા વ્યારા શહેર દ્વારા મુખ્ય ચુંટણી અધિકારીને કરતા જે અંગે જરૂરી કાર્યવાહી કરવા ચુંટણી અધિકારી વ્યારા નગરપાલિકા અને પ્રાંત અધિકારીએ તાલુકા આચારસંહિતા નોડલ ઓફિસરને સૂચન કાર્ય હતા.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application