Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણમાં ખેડૂતે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • February 26, 2021 

ડોલવણ પાટીકુવા ફળિયાના ખેડૂતે પોતાના ખેતરમાં આંબાના ઝાડ સાથે નાયલોનની દોરી બાંધી કોઈક અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારજનોમાં ગમગીન છવાઈ ગઈ હતી.

 

 

 

ડોલવણ ગામના પાટીકુવા ફળિયામાં રહેતા 46 વર્ષીય સન્મુખભાઈ બાબુભાઈ ગામીત ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સન્મુખભાઈ સાંજે ઓલણ નદી પાસે આવેલા પોતાના ખેતરમાં જઈ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. સન્મુખભાઈ કોઈક કારણસર હતાશ રહેતા હતા જે કારણે પોતાના જ ખેતરમાં આવેલા આંબાના ઝાડ સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. આંબાના ઝાડ સાથે મૃતદેહ લટકેલો જોતા આસ-પાસનાં લોકોએ ડોલવણ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application