Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરમાં 103થી વધુ મંડળોએ શ્રીજીની સ્થાપના કરી

  • September 11, 2021 

તાપી જિલ્લા સહીત વ્યારા નગર ખાતે 10 સપ્ટેમબરનાં રોજ ગણેશ ચતુર્થીના ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે વ્યારા નગરમાં 103થી વધુ ગણેશ પ્રતિમાઓ ગણેશ મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવી છે. એક વર્ષ બાદ ગણેશ ઉત્સવનો ઉજવણીને મંજૂરી મળતા જેને લઇ સમગ્ર વ્યારા નગરમાં ગણેશ ઉત્સવનો માહોલ ભારે જામી રહ્યો છે. ગણેશ પ્રતિમાના આગમન અને સ્વાગત માટે ભક્તો મિશન નાકા પર ઉમટી પાડ્યા હતા.

 

 

 

 

 

કોરોના મહામારીના કારણે છેલ્લા વર્ષે ગણેશ ઉત્સવ ઉજવાયો ન હતો. પરંતુ આ વર્ષે વિવિધ ગાઈડલાઈન સાથે ગણેશ ઉત્સવની ઉજવણી માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેને લઇને વ્યારા નગર ખાતે ગણેશ ચતુર્થી પર્વને લઇ નગરજનોમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી વ્યારા નગર અને ગ્રામ્ય વિસ્તારમાં અંદાજિત 103 જેટલા સાર્વજનિક ગણેશ મંડપમા શ્રીજીની સ્થાપના થઈ છે. જેમાં વિવિધ મંડળો દ્વારા સુરત, નવસારી, બારડોલી, નવાપુર તેમજ નંદુરબાર જેવા સ્થળોથી મૂર્તિઓ લાવવામાં આવી હતી. ભાવિક ભક્તો દ્વારા નિયત કરેલા સ્થળ પર સ્થાપના કરી હતી.

 

 

 

 

 

વ્યારા નગરના ભાવિક ભક્તો દ્વારા ઠેરઠેર મંડપ આકર્ષણ ડેકોરેશન માટે રંગબેરંગી લાઈટો, ફુગ્ગાઓ  તેમજ ધજા-પતાકાથી મંડપ સજ્જ કરી દેવાયા છે. 10મી સપ્ટેમ્બરથી દસ દિવસ ચાલનારા ગણેશ મહોત્સવમાં આયોજક દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરતીઓ મહાપૂજાના આયોજન કોરોના ગાઈડલાઈન પ્રમાણે કરી દેવામાં આવ્યા છે. દસ દિવસના ગણેશ ઉત્સવ બાદ ભાવિક ભક્તો દ્વારા ગણેશજીની વિધિવત રીતે કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરી ઉત્સવની પૂર્ણાહુતી કરશે તે માટે પણ સ્થાનિક તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application