Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં જાહેર શૌચાલયનું અધૂરું કામ પૂર્ણ થાય તેવી લોકોની માંગ

  • November 03, 2021 

નિઝર તાલુકાનાં તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં લોકોઓના હિત માટે જાહેર શૌચાલય બનાવવા માટે આશરે 6 થી 7 મહિના પહેલા બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ શૌચાલય અધૂરું જોવા મળી રહયું છે કેટલાક સમયથી બાંધકામની કામગીરી બંધ હોવાથી અધૂરા જાહેર શૌચાલયના આજુબાજુમા લીલી વનસ્પતિની અને ઘાસ ઉગી નીકળેલ છે. જયારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના ગામડાઓમા સરકારના વિવિધ યોજનાઓ જેવી કે મનરેગા, એસ.બી.એમ, પી.એમ. આવસ, નાણાંપંચની ગ્રાંટમાં થઇ રહેલા કામોને ચકાસણી કરવા ગામડે-ગામડે જતા હોય છે અને અધૂરું કામ લાગે તે કામગીરી પૂર્ણ કરવા અંગે જે તે શાખાઓના અધિકારીઓને સૂચનો આપવામાં આવે છે.

 

 

 

 

 

 

પરંતુ નિઝરના તાલુકા પંચાયતના ઘણા લાંબા સમયથી અધૂરું જાહેર શૌચાલયનું બાંધકામ નજર સામે જ હોવા છતાં પણ જાહેર શૌચાલયનું બાંધકામ પૂર્ણ કરવા અંગે કેમ સૂચનો આપવા આપવામાં આવી નથી તેવી ચર્ચા નિઝર તાલુકા પંચાયત કચેરી ખાતે કામકાજ અર્થે આવતા લોકોઓમાં થઇ રહી છે. નિઝર તાલુકા પંચાયતમા સમાવેશ આશરે 20 જેટલી ગ્રામ પંચાયતના ગામડાઓના લોકો તાલુકા પંચાયત કચેરી ખાતે અલગ-અલગ કામ લઇને આવતા હોય છે. જે લોકો માટે શૌચ કરવા જાહેર જગ્યામા ન જવું પડે તે માટે તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં જાહેર શૌચાલય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કેટલાક સમયથી જાહેર શૌચાલયનું બાંધકામ અધૂરું મુકવામાં આવેલ છે. જોકે હવે તો નિઝર તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં અધૂરું જાહેર શૌચાલય બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ લોકોમા ઉઠી છે. હવે જોવું એ રહ્યું કે તંત્રને કામ પૂર્ણ કરવા હજી કેટલો સમય લાગશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application