Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડમાં અનાજ મેળવવાની રજુઆતને લઈ લાભાર્થીઓ મામલતદાર કચેરીએ પહોંચી લેખિત આપ્યું

  • September 03, 2021 

વાલોડ નગરમાં સહકારી ગ્રાહક ભંડારની ચાર દુકાનો આવેલી છે. જેમાં વાલોડ, કોસંબીયા તેમજ નાલોઠા ગામના લાભાર્થીઓને જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજનો જથ્થો મળે છે. ઓગસ્ટ માસમાં વિતરણ મોડું શરૂ થતા લાભાર્થીઓ વહેલી સવારથી વાલોડ ખાતે આવેલી સહકારી ગ્રાહક ભંડારની દુકાને પહોંચ્યા હતા. ત્યારે ગત તા.27મી ઓગસ્ટથી શરૂ થયેલી અનાજનું વિતરણ 31મી ઓગસ્ટ સુધી નિયમિત થયું હતું.

 

 

 

 

પરંતુ વિતરણ મોડું શરુ થતા મુદ્દત 5 સપ્ટેમ્બર સુધી લંબાવી ઓગસ્ટ માસનું બાકી અનાજ 5મી સપ્ટેમ્બર સુધી મળી જવાની સત્તાધીશોએ કહ્યું હોય જેને લઈ ઓગસ્ટ માસનું અનાજ લેવામાં બાકી રહેલા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ગ્રાહક ભંડારની દુકાને પહોંચતા ઓપરેટર કે જવાબદારીએ યોગ્ય જવાબ ન આપતા લાભાર્થીઓ પોતાના હક્કનું અનાજ મેળવવાની રજુઆતને લઈ વાલોડ મામલતદાર કચેરીએ પહોંચી લેખિત આપ્યું હતું.

 

 

 

 

વધુમાં સુત્રોના જણાવ્યા અનુસાર, ઓનલાઈન સ્ટોક મેન્ટેન ન થતા જથ્થો ન બતાવતા કુપનો નીકળી શકી ન હતી અને જેને લઈ લોકોએ હંગામો મચાવવાનો શરુ કર્યો હતો. એક તરફ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણમાં ઓફલાઈનમાં અનાજ આપવાની જોગવાઈ ન હોઈ પરંતુ સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મોડી સાંજે વહીવટ તંત્રે તકેદારી અધિકારીની નિયુક્તિ કરી હતી. તાલુકામાં દુકાન દીઠ અધિકારીઓને હાજર રહી ઓફલાઈન વિતરણ વ્યવસ્થા કરવા માટેના ઓર્ડર કરવાની પ્રકિયા તંત્રે શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application