Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના ધામોદલા ગામે આંગણવાડીના બાંધકામ માટે બીટીટીએસ દ્વારા મામલતદારને આવેદન અપાયું

  • October 26, 2021 

વાલોડ તાલુકાનાં ધામોદલા ગામે આંગણવાડીના મકાનનાં બાંધકામ કરવા ઈન્ચાર્જ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ધામોદલા ખાતે પારસી સમુદાય દ્વારા આંગણવાડી બનાવવાના હેતુસર સન-1979માં જમીન નીમ કરી કલેકટર દ્વારા ફાળવેલ જમીન પર આંગણવાડી મકાન બનાવાયું હતુ, જેમાં 30 વર્ષથી સુધી ગામના આદિવાસી બાળકો શિક્ષણ લીધું હતું. પરંતુ 30 વર્ષ જૂનું મકાન જર્જરીત થતા નવા મકાનના બાંધકામ માટે ગ્રાન્ટ મંજૂર થતા જુના મકાનને તાલુકા વિકાસ અધિકારી અને તલાટીની હાજરીમાં ધરાશાય કરાયુ હતુ, ત્યારબાદ તત્કાલીન સરપંચ દ્વારા આંગણવાડી મકાન માટે ફાળવેલ જગ્યા પર ગેરકાયદે દબાણ કરીને અંગત કામ માટે જમીન ઉપયોગ કરી રહેલ છે જેથી સરકારી રાહે જમીન માપણી કરાવી તે જમીનમાં આંગણવાડીનું મકાન ઉભુ કરવામાં આવે એવી ધામોદલા ગ્રામજનોની માંગણી અંગે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા વાલોડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application