Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોસવાડાનાં જંગલમાં ત્રણથી ચાર વર્ષનો દીપડો પાંજરે પુરાયો

  • April 08, 2021 

સોનગઢ તાલુકાના ડોસવાડા ગામમાં વનવિભાગે મુકેલા પાંજરામાં ત્રણથી ચાર વર્ષનો દીપડો પુરાયો હતો.

 

 

 

 

ડોસવાડાના ડુંગરી ફળિયામાં દિનેશભાઈના ખેતરમાં પાંજરું મુકાવ્યું હતું. આ પાંજરામાં રાત્રે ત્રણથી ચાર વર્ષની વયનો દીપડો પુરાયો હતો. વનવિભાગ દ્વારા દિપડાએ ફરી જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. ઉનાળામાં જંગલ સુકા થવાથી ત્યાં વન્ય પ્રાણીઓને છુપાઈને રહેવાની જગ્યા ન મળવાની સાથે પીવાનું પાણી પણ મળતું નથી અને હાલના દિવસોમાં જંગલમાં આગ લાગવાની ઘટનાઓ બની રહી હોવાથી દીપડા માનવ વસ્તી તરફ આવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application