Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : શ્રવણ તીર્થ યાત્રાના નામે છેતરપિંડીં કરનાર સામે નોંધાયો ગુનો

  • February 03, 2023 

શ્રવણ તીર્થ યાત્રાના નામે છેતરપિંડીની ઘટના સુરતમાં સામે આવી છે. આ ઘટનામાં ધાર્મિક સ્થળે જવા માટે મહિલાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.જેથી આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ભાજપ મહિલા કાર્યકરતના પુત્ર અજય લુણાગરિયા સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 500થી વધુ મહિલાઓ પાસેથી રુપિયા લઈને તીર્થ યાત્રા ન કરાવીને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.



ભોગ બનેલી મહિલાઓ અને વૃદ્ધોએ પોલીસ કમિશનરને આ મામલેટ રજૂઆત કરી હતી. આરોપી અજય લુણાગરિયાટ વોર્ડ નંબર 15ની મહિલા મોરચાની કારોબારી સભ્યનો પુત્ર છે. મળતી વિગતો અનુસાર આરોપી અજયે અન્ય લોકોને પણ છેતરપિંડીના શિકાર બનાવ્યા હોવાની આશંકા છે. આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.લોકો આ પ્રકારે ધાર્મિક યાત્રાના નામે પણ લાખોની ઠગાઈ કરતા અચકાઈ રહ્યા નથી.



આ પહેલા પણ આ પ્રકારે રાજ્યના ગુનો આ મામલે અન્ય આરોપીની નામે નોંધાઈ ચૂક્યો છે. ત્યારે આ મામલે પણ વધુ મહિલાઓ પાસેથી રુપિયા લઈ તીર્થ યાત્રા ન કરાવીને છેતરપિંડી કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. ત્યારે આ મામલે અન્ય કેટલા લોકોને છેતરપિંડીના શિકાર બનાવ્યા છે કે કેમ તે મામલે પણ તપાસ પોલીસટ દ્વારા કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application