Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરને પણ મળ્યું UPSCની પરીક્ષા માટેનું કેન્દ્ર, 8547 વિદ્યાર્થીઓએ કરી સુરત કેન્દ્રની પસંદગી

  • August 12, 2021 

યુપીએસસી દ્વારા દર વર્ષે તમામ રાજયોમાં આઇ.એ.એસ, આઇ.પી.એસ સહિત અલગ-અલગ કલાસ-1 ઓફિસરોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા સમ્રગ ભારતમાં અત્યાર સુધી 76 કેન્દ્વો પરથી જ પરીક્ષા લેવાતી હતી. આ વર્ષે સુરતને પણ કેન્દ્ર ફાળવાયુ છે. ગત વર્ષ સુધી આ પરીક્ષા અમદાવાદમાં જ લેવાતી હતી. આથી સુરતમાંથી ફોર્મ ભર્યા પછી પણ પરીક્ષા આપવા માટે અમદાવાદ કે પછી મુંબઈ અથવા અન્ય સીટીમાં જવુ પડતુ હતુ. સુરતને કેન્દ્ર મળ્યા બાદ ટ્રાવેલીંગનો સમય-ખર્ચ બચી જશે.

 

 

 

 

 

સુરત જિલ્લા કલેકટર આયુષ ઓેકએ જણાવ્યું કે, સુરત કેન્દ્રને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના ઉમેદવારો પસંદ કરી શકે છે. અત્યાર સુધીમાં 8547 વિદ્યાર્થીઓએ સુરત કેન્દ્રની પસંદગી કરી છે. કેવી રીતે તૈયારી કરવી તેના માટે કેન્દ્રમાંથી એક ટીમ પણ આવનાર છે. સુત્રોના જણાવ્યા મુજબ, આ વર્ષે સુરત કેન્દ્વમાં 200થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવાઇ છે. સંભવતઃ આ પરીક્ષા 10-10-2021ના રોજ લેવાશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application