Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લીંબાયતમાં જુના ઝઘડાની અદાવત રાખી યુવકની હત્યા કરી 5 ઈસમો ફરાર, પોલીસ તપાસ શરૂ

  • December 31, 2021 

સુરતના લીંબાયત બજરંગનગરમાં રાત્રે રત્નકલાકાર યુવકને દિવાળી અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં તેના પિતા અને ભાઈની નજર સામે 5 ઈસમોએ તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ મહારાષ્ટ્રના અકોલાનો વતની અને હાલ સુરતમાં લીંબાયત સંતોષનગર પ્લોટ નંબર-303માં પત્ની શીતલ, માતાપિતા અને ભાઈબહેન સાથે સંયુક્ત પરિવારમાં રહેતો 25 વર્ષીય રાકેશ ઉર્ફે સોનુ રાજુભાઈ વાઘમારે ગતરોજ રાત્રે 8.30 વાગ્યે પોતાના ઘરેથી સોસાયટીની બહાર ગયો હતો.  તે દરમિયાન રાત્રે 10 વાગ્યે તેના પિતા રાજુભાઈએ ઘરે આવી મોટા પુત્ર જગદીશ ઉર્ફે પિન્ટુને કહ્યું હતું કે, રાકેશ ઉર્ફે સોનુને બજરંગનગરમાં ગણેશ ઉર્ફે ગણીયો (રહે.બજરંગનગર,લીંબાયત,સુરત) અને તેના મિત્રો મારે છે.આથી જગદીશ તેના પિતા સાથે એક્ટીવા પર ત્યાં દોડી ગયો હતો. ત્યાં જોયું તો પ્લોટ નંબર-62ની બાજુમાં રોડ પર ગણેશ અને તેના મિત્રો વિક્કી, વિક્રમ, કરણ અને કિશન તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા મારતા હતા. જગદીશ અને તેના પિતા બૂમો પાડતા તેમની તરફ દોડતા ગણેશ અને તેના મિત્રો ભાગી છૂટ્યા હતા. રાકેશ લોહીલુહાણ હાલતમાં રોડ પર પડેલો હોય અને હલનચલન કરતો ન હોય તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગત દિવાળી અગાઉ રાકેશનો પોતાના ઘર નજીક ગણેશ ઉર્ફે ગણીયો સાથે ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતો. તે સમયે સ્થાનિકોએ તેમને છૂટા પાડયા હતા. જોકે, એક કલાક બાદ ગણેશ ચપ્પુ લઈ મારવા આવતા તેને રાકેશ અને તેના પિતાએ માર માર્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને તેની અદાવતમાં જ ગતરાત્રે રાકેશની હત્યા કરી દેવાઈ હતી. લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application