Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાના જોળવા ખાતે વિશ્વ યોગદિન શિબિરનું આયોજન કરાયું

  • June 21, 2021 

પલસાણાના જોળવા ગામ ખાતે નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી સુરતનાં માર્ગદર્શન અન્વયે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને આયુષ ગ્રામ જોળવાના સંયુક્ત ઉપક્રમે આજરોજ સાતમા આંતરાષ્ટ્રીય યોગ દિન નિમિતે ઉજવણી કરવામાં આવી હતી. આ યોગ શિબિર જોળવા વેલનેસ સેન્ટરના મેડિકલ ઓફિસર વૈદ્ય કાજલ મઢીકર દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અતિથિ વિશેષ તરીકે ગામનાં પ્રથમ નાગરિક સરપંચ મહેશભાઈ નાયક તથા સંજીવની પંચકર્મ હોસ્પિટલ બારડોલીના વૈદ્ય મનીષભાઈ સુરતી સાથોસાથ પલસાણા તાલુકાના કિસાન મોરચાના ભાજપના મહામંત્રી સોહમ પટેલ તેમજ સુરત જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી મનીષભાઈ શાહ સહીત જોળવા ગામના સરપંચ મહેશ દેસાઈ સાથે ભાજપના અનેક કાર્યકરો એ યોગ કરીને યોગને પ્રાધન્ય આપ્યું હતું. પલસાણાના જુદા-જુદા ગામડાઓમાંથી મહિલાઓ તેમજ પુરુષો આવીને યોગ કર્યા હતા યોગ શિક્ષક પાસે યોગનું મહત્વ સમજ્યું હતું.

 

 

 

 

 

શિબિરનું સંચાલન યોગ ઇન્સ્ટ્રકટર ધવલ સોની દ્વારા કરવામાં આવ્યું. ગામ લોકોને યોગ કરાવવામાં આવ્યાં. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તો સાથોસાથ શિબિરમાં ઉપસ્થિત લોકોને વૈદ્ય મનીષભાઈ સુરતી એ યોગ અને આયુર્વેદની સમજણ આપી હતી. તો બીજી તરફ જોળવા ગામ ખાતે યોગ શિક્ષક ધવલ સોની દ્વારા રોગમાં કયું યોગાસન કરી શકાય અને કઈ શારીરિક માનસિક બીમારીમાં કયા યોગ પ્રાણાયામ કરી શકાય એની વિસ્તૃત સમજણ સાથે યોગ કરાવામાં આવ્યા હતા તો બીજી તરફ આજરોજ સાતમા આંતરરાષ્ટીય યોગ દિન નિમિતે આયુર્વેદ મેડિકલ ઓફિસર ર્ડા કાજલ મઢીકર એ જણાવ્યું હતું કે યોગ શીબિરનો વધુમાં વધુ લોકો લાભ લે અને તંદુરસ્તમય જીવન જીવે એવી અપીલ પણ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application