Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાતીથૈયા ગામે મીલમાં કામદારને કરંટ લાગતા મોત

  • June 24, 2021 

સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે મીલમાં કામ કરતા એક કામદારને મીલની અંદર કરંટ લાગતા તેને નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ મોત નીપજ્યુ હતુ. બનાવ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલાસાણા તાલુકાના ચલથાણ ગામે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને તાતીથૈયા ગામે આવેલ સીધ્ધી વીનાયક ઇન્ડસ્ટ્રીઝમાં મશીનના ઓપરેટર તરીકે ફરજ બજાવી પરીવારનુ ગુજરાન ચલાવતા ડોનીનાથ બળદેવભાઇ તીવારી જેઓ સીધી વીનાયક મીલમાં ફરજ પર હાજર હતા. ત્યારે અચાનક કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે મીલના ઇન્ચાર્જ તાત્કાલીક ડોનીનાથને ચલથાણ સંજીવની હોસ્પીટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. બનવા અંગે પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application