Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોનના હપ્તાના ભરી ન શકતા યુવકે આત્મહત્યા કરી

  • June 30, 2021 

કામરેજના કેનાલ રોડ પર રઘુનંદન સોસાયટીમાં રહેતા 35 વર્ષીય એક યુવકે લોનના હપ્તા ન ભરાતા અનાજમાં નાખવાની દવા પી આત્મહત્યા કરી લીધી હતી.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં કેનાલ રોડ પર આવેલા રઘુનંદન સોસાયટીમાં રહેતો નિલેષ હરિભાઇ જીકાદરા (ઉ.વ.35) એ પોતાના મકાન ઉપર 38 લાખ રૂપિયાની લોન લીધી હતી. જેના લોનના હપ્તા ચાલુ હોય પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી નિલેષભાઈનો કામ ધંધો ચાલતો ન હોય અને આર્થિક સંકડામણને કારણે લોનના હપ્તા ભરી શકતો ન હતો. તે સતત માનસિક તણાવમાં રહેતો હતા તેથી સવારે 8.30 વાગ્યાના સુમારે નિલેશે અનાજમાં નાખવાની દવા પી લેતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application