Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં તાજપોર ગામની સીમમાંથી અઢી વર્ષની દીપડી પાંજરે પુરાઈ

  • December 16, 2021 

સુરતનાં બારડોલી તાલુકાનાં સરભોણ રોડ ઉપર આવેલ તાજપોર ગામની સીમમાં આવેલ એક ફાર્મ હાઉસમાંથી દીપડો પાલતુ પશુ અને મરઘાંઓનો શિકાર કરતાં વનવિભાગની ટીમે પાંજરું ગોઠવતા ગતરોજ એક દીપડો પાંજરે પુરાયો હતો. વનવિભાગની ટીમે તેનો કબ્જો મેળવી તેને દૂર જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં સરભોણ નવસારી રોડ ઉપર આવેલ તાજપોર ગામની સીમમાં યાસીનભાઈ કાદરભાઈ મેમણનું અક્ષ્વમેધ નામનું ફાર્મ આવેલ છે જેમા તેમણે મરઘાં, કુતરા વગરે જેવા પાલતુ પશુઓ પાળ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી આ ફાર્મમાંથી દીપડો મરઘાં અને પાલતા પશુઓનો શિકાર કરી રહયો હતો. ત્યારબાદ ફાર્મ પર લગાવેલ સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ હતી.ત્યારબાદ અલીસ મેમણ દ્વારા ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખને જાણ કરતા જતીન રાઠોડ ફાર્મ પર જઈ તપાસ કરતા દિપડાનો વીડીયો જોયા બાદ પગમાર્ગ પરથી માદા દિપડી હોવાનું જણાવ્યુ હતું અને ત્યારબાદ વનવિભાગના આર.એફ.ઓ.ને ટેલિફોનિક જાણ કરતા વનવિભાગના કર્મચારીઓને મોકલી પાંજરુ મુકવામાં આવ્યું હતું. પાંચ દિવસ બાદ ગત રાત્રીના સમયે દિપડો મરઘા ખાવાની લાલચે પાંજરે પુરાયો હતો. ફાર્મમાં કામ કરતા મજુરો 10 વાગ્યે ફાર્મ પર જતા દિપડાને પાંજરામાં જોતા ફાર્મના માલિક યાસીનભાઈ મેમણને જાણ કરી હતી તેન વનવિભાગ અને ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખને જાણ કરતા ટીમે ફાર્મ જઈ જોતા અઢી વર્ષની માદા દિપડી હતી અગાઉ ચાર માસ પહેલા આજ ફાર્મ પરથી એક નર દિપડો પાંજરે પુરાયો હતો. યાસીનભાઈના ફાર્મ પરથી અત્યાર સુધી 15 મરઘા અને 2 મરઘી અને પાલતું કુતરાનો શિકાર થયો છે હાલ પણ આ ફાર્મમાં વારંવાર દિપડા જોવા મળી રહ્યા છે તેન વનવિભાગે દિપડીનો કબ્જો લઈ પશુ ચિકિત્સક પાસે પ્રાથમિક તપાસ કરાવ્યા બાદ જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application