Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલી : જર્જરિત એપાર્ટમેન્ટમાં ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતા ભાગદોડ મચી

  • November 03, 2021 

સુરતનાં અમરોલી વિસ્તારમાં ત્રણ માળના એપાર્ટમેન્ટમાં ગતરોજ મોડી રાતે ત્રીજા માળે ગેલેરીનો ભાગ તુટી પડતા ભાગ દોડ મચી ગઈ હતી. જોકે, ફાયર જવાનોએ 100થી વધુ લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી મુજબ, અમરોલી ગામ ખાતે આવેલ જલારામ મંદિર નજીક ત્રણ માળનું રત્નમણિ એપાર્ટમેન્ટ જર્જરિત થઇ ગયું હોવા છતાં લોકો વસવાટ કરે છે જેથી જેમાં ગતરોજ મોડી રાતે ત્રીજા માળે લોબીનો સ્લેબનો ભાગ અચાનક તુટી પડતા ત્યાં રહેતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને ભયભીત થયેલા લોકો પોતાનો જીવ બચાવવા ભાગમભાગ કરવા લાગ્યા હતા.

 

 

 

 

 

બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ઓફિસર અને ફાયરજવાનો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા જોકે એપાર્ટમેન્ટની ઉપરના માળે રહેતા લોકો બુમાબુમ કરતા હતા તેથી 8 જેટલા ફાયર જવાનોએ 100થી વધુ રહીશોનું રેસ્ક્યુ કરી સહિલસામત નીચે ઉતાર્યા હતા. જેમાં વડીલોને ફાયર જવાનોએ ખભાનો સહારો આપીને નીચે ઉતાર્યા હતા. આ અંગે પાલિકાને જાણ થતા બિલ્ડીંગ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application