Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ગણેશ વિસર્જન માટે બનાવામા આવેલ કૃત્રિમ તળાવમા પાણી ભરાયા

  • September 18, 2023 

સુરતમાં ગણેશ ઉત્સવ પહેલા તાપી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે લોકોને ટેન્શન ઉભુ થયું છે. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે બનેવાવાયેલા કૃત્રિમ તળાવ તાપીના પાણીમાં ગરક થઈ ગયા છે. હવે તાપી નદીના પાણી ઓસર્યા બાદ તળાવમાં નુકસાન થયું છે કે નહીં તેની ખબર પડશે. સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 2.97 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા છે. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે તાપી નદી બન્ને કાંઠે વહેતી થઈ છે.


આ પાણી નાવડી ઓવારા અને ડક્કા ઓવારામાં ભરાયા છે. પાલિકાએ ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે કૃત્રિમ તળાવ બનાવ્યા છે તે તળાવ પણ તાપી નદીના પાણીમાં ગરક થઈ ગયા છે. તાપી નદીમાં પાણીની સપાટીમાં ગતરોજ રાત્રે વધારો થયો હતો જેના કારણે પાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા કૃત્રિમ તળાવની ફરતે પતરાના બેરીકેટીંગ કરવામાં આવ્યા હતા તેને દુર કરવામા આવ્યા હતા. જોકે, આજે સવાર સુધીમાં પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવ તાપી નદીમાં ગરક થઈ ગયા છે. આ તળાવમાં દોઢ દિવસથી માંડીને દસ દિવસના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામા આવશે જોકે, હવે પાણી ઉતર્યા બાદ આ તળાવ વિસર્જન પ્રક્રિયામાં ચાલી શકે છે કે, નહીં કે કેટલું નુકસાન થયું છે તેની માહિતી મળી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application