Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંડેસરામાં કિશોર ઘરેથી નિકળ્યા બાદ પરત નહી આવતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

  • August 24, 2021 

સુરતના પાંડેસરા શાસ્ત્રીનગરમાં રહેતા શ્રમજીવી પરિવારના ૧૩ વર્ષનો પુત્ર ઘરેથી નીકળ્યા બાદ ગુમ થતા ચિંતામાં મુકાયેલા પરિવારએ ફરિયાદ નોધાવતા પોલીસે ગંભીરતાથી લઈને અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

પાંડેસરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, પાંડેસરા શાસ્ત્રીનગર ખાતે રહેતા મનોરંજન શીવકુમાર સીંગ (ઉ.વ.૩૩) પાંડેસરા જીઆઈડીસીમાં આવેલા રામેશ્વર ડાઈગ ખાતામાં સેન્ટર મશીન ઉપર કામ કરી પરિવારમાં પત્ની અને ૧૩ વર્ષના દીકરા વિશાલનું ભરણપોષણ કરે છે. મનોરજંનભાઈ શનિવારે સવારે સાત વાગ્યે નોકરી પર ગયા હતા અને રાત્રે નવ વાગ્યે પરત ઘરે આવ્યો હતો ત્યારે ઘરમાં વિશાલ નહી દેખાતા તેની પત્ની ઉષાદેવીને વિશાલ ક્યાં ગયો છે હોવાનુ પુછતા તેણી સાંજે પાંચ વાગ્યે ઘરેથી નિકળ્યો હતો ક્યાં ગયો છે તે કહીને નથી ગયો હોવાનુ કહેતા મોડી સુધી પરત ઘરે નહી આવતા આજુબાજુમાં તથા સગાવાળાઓના ઘરે તપાસ કરી હતી. પરંતુ વિશાલ મળી આવ્યો ન હતો અને વિશાલ અગાઉ પણ આ રીતે તેના મિત્રોના ઘરે રોકાઈ જતો હોવાથી બીજા દિવસ પરત આવી જતો હતો જેથી વધુ શોધખોળ કરી ન હતી. પરંતુ બીજા દિવસે પણ તેની કોઈ ભાળ નહી મળતા ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application