Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વળાંકમાં ટ્રેકટર પલ્ટી જતાં ખેડૂતનું મોત નીપજયું

  • October 16, 2021 

સુરતના ઓલપાડ તાલુકાનાં સોંદામીઠા ગામના એક ખેડૂત ટ્રેકટર લઈ ખેતરે જઈ રહ્યા હતા. તે સમયે સોંદામીઠાથી ટકારમાં જતાં માર્ગ ઉપર વળાંકમાં ટ્રેકટર પલ્ટી જતાં ખેડૂતનું મોત નીપજયું હતું.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડનાં સોંદામીઠા ગામે ગરાસ ફળિયામાં રહેતા પ્રવિણસિંહ ખુમાનસિંહ મહિડા (ઉ.વ.58) નાઓ ગતરોજ સવારના સમયે ટ્રેકટર નંબર જીજે/05/એએ/6549 લઈને ખેતરે જવા નીકળ્યા હતા. તે સમયે સોંદામીઠાથી ટકારમાં જતાં માર્ગ ઉપર આવેલ વળાંકમાં ટ્રેક્ટર પલ્ટી ગયું હતું. જયારે સર્જાયેલ આ અકસ્માતમાં પ્રવિણસિંહ મહિડાને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજયું હતું. બનાવ અંગે ઓલપાડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application