Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડનાં કીમ ગામમાં રવિવારે સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય

  • April 11, 2021 

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકામાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કીમ ગામમાં રવિવારના રોજ સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

 

ગ્રામ પંચાયત, વેપારીઓ આગેવાનો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રવિવારના રોજ આવશ્યક ચીજ-વસ્તુ સીવાય તમામ દુકાન માર્કેટ બંધ રહેશે. લોકો જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળે તથા જ્યાં વધુ પડતા કોરોનાના કેસો છે એવા વિસ્તારમાં રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર ન નીકળવા જણાવવામાં આવ્યું છે અને બિનજરૂરી હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application