Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી લેતા હાલત ગંભીર

  • November 02, 2021 

સુરતના લિંબયાત વિસ્તારનાં મારૂતી નગર ખાતે રહેતા, ઝુબેર ખાટીકે ચીકનના ધંધા માટે પરિચિતો પાસેથી 35 લાખથી વધુની રકમ લીધી હતી. જોકે, કોરોના મહામારીના કારણે ધંધો બંધ થઈ જતા ઝુબેર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને મિત્રો પાસેથી લીધેલા રૂપિયા પરત કરવા ઝુબેરે અલગ-અલગ વ્યાજખોરો પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા અને પરિચિતોને રૂપિયા ચુકવી દીધા હતા. ત્યારબાદ વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ ચુકવવામાં ઝુબેરનું મકાન અને દુકાન પણ વેચાઈ ગયા હતા.

 

 

 

 

પરંતુ વ્યાજખોરોના ચક્રમાંથી તે બહાર આવી શક્યો ન હતો. જેથી વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ થતા આખરે બચેલી એક દુકાન પણ વેચાઈ જશે તો પરિવારનું શું થશે તેવા વિચાર સાથે ઝુબેરે ગત તા.30ના રોજ  ઝેરી દવા પી લેતા તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application