Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધાબા ઉપર સુતેલા કારીગર ઉપર 2 અજાણ્યાઓએ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો

  • August 14, 2021 

સુરતના પંડોળ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝના ખાતા નંબર-98નાં ધાબા ઉપર રાત્રે સુતેલા કારીગર ઉપર 2 અજાણ્યાઓએ ચપ્પુથી જીવલેણ હુમલો કરી ઉપરા છાપરી ઘા મારી ભાગી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા કારીગરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પંડોળ રહેનત નગર ખાતે રહેતા અને ટીએફઓ મશીન ચલાવતા અનિલ દેવીપ્રસાદ નિસાદનો સાળો કંધી પંડોળ ક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝના ખાતા નંબર-98નાં ધાબા ઉપર રાત્રે સુતેલો હતો. તે સમયે સવારના સવ્વા સાતેક વાગ્યે 2 અજાણ્યાઓએ કંધીને પેટ, પેઢુ, હાથ-પગ, પીઠ તથા કપાળના ભાગે ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા. કંધીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે હત્યાની કોશીશનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application