Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં ઓમિક્રોન વોરિયન્ટની એન્ટ્રીથી સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ

  • December 04, 2021 

વિશ્વમાં ભારે હોબાળો મચાવનાર ઓમિક્રોન વોરિયન્ટની ભારતમા એન્ટ્રી થયા પછી જામનગરમાં શંકાસ્પદ કેસ મળી આવ્યા છે જેથી સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ થઇ ગયુ છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે કહ્યું કે, ઓમિક્રોન વોરિયન્ટના લીધે ગતરોજ કોરોના નોડલ ઓફિસર ડો.અશ્વિન વસાવા સહિતના સિનિયર ડોકટરો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તાકીદે  સિવિલની સ્ટેમસેલ બિલ્ડિંગના ત્રીજા અને દસમાં માળે 83 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં વેન્ટિલેટર સહિત જરૂરી સાધનો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સિવિલની વિવિધ બિલ્ડીંગમાં કોરોનાનાં 3000થી વધુ દર્દીઓને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલમાં સ્ટેમસેલ બિલ્ડિંગમાં કોરોનાના 6 દર્દી સારવાર લઈ રહ્યા છે. જ્યાં 12 રેસિડન્ટ ડોક્ટર, 2 કન્સલટન્ટ,2 ફેકલ્ટી, 5 ઇન્ટર્ન ડોક્ટર, 22 નર્સિંગ સ્ટાફ, 25 થી 30 સર્વન્ટ ફરજ બજાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application