Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : પરીક્ષા આપી ન હોય તેવા વિદ્યાર્થીઓની 15 દિવસમાં પૂરક પરીક્ષા લેવાશે

  • August 01, 2021 

કોરોનાના કારણે જે વિદ્યાર્થીઓની ઓફલાઇન કે ઓનલાઇન પરીક્ષા આપવાની રહી ગઇ છે તે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ પુરતુ જે તે પરીક્ષાનું શિડયુલ પૂર્ણ થયા બાદ 15 દિવસમાં જ પૂરક પરીક્ષા લેવાનો એકેડમીક કાઉન્સીલની બેઠકમાં નિર્ણય કરાયો હતો.

 

 

 

 

 

કોરોના કારણે ઘણા વિદ્યાર્થીઓની હાલમાં લેવાયેલી ઓનલાઇન કે ઓફલાઇન પરીક્ષા આપવાની રહી ગઇ હતી. આ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે 6 મહિના સુધી રાહ જોવી પડે તેમ છે. આથી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે પણ વિદ્યાર્થીઓની પરીક્ષા આપવાની બાકી રહી ગઇ છે. તે વિદ્યાર્થીની હાલમાં પરીક્ષાના શિડયુલ પૂર્ણ થયા પછી 15 દિવસમાં જ પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણયના પગલે વિદ્યાર્થીઓએ 6 મહિના સુધી પરીક્ષાની રાહ જોવી પડશે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application