Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કંપનીના એકાઉન્ટન્ટના અંગદાનથી ત્રણ લોકોને મળ્યું નવજીવન

  • October 26, 2021 

સુરતના હજીરા રોડ પર ભાઠાગામમાં સુરતી સ્ટ્રીટમાં રહેતા દેવચંદભાઈ જયરામભાઇ રાણા (ઉ.વ.55) જે બારડોલી રોડ પર આવેલી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને જેઓ ગત તા.21ના રોજ સવારે બાઇક પર બારડોલી ખાતે નોકરીએ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન પુણા રોડ પર ખાડી પુલ પાસે શ્યામ સંગીની માર્કેટ પાસે રોડ પર ખાડો આવવાથી બાઇક સ્લીપ થઇ હતી. તેમને માથામાં ગંભીર ઇજા થતા તાત્કાલિક અઠવાગેટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યા સીટી સ્કેન કરાવતા તેમને બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું જેથી તા.24એ દેવચંદભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચીને તેમના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમનું લિવર અને કિડનીનું દાન સ્વીકારાયુ હતુ અને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું  હતુ.

 

 

 

 

 

 

જયારે દાનમાં મળેલું લિવર અમદાવાદમાં રહેતા 54 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયુ હતુ અને બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું ન હોતું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતથી અમદાવાદ સુધીના 267 કિ.મી.નો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. આમ, દેવચંદભાઈ જયરામભાઇ રાણાના અંગ દાનથી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application