Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પતિ સાથે ઝગડો થતાં બંને બાળકો સાથે ઘરેથી નીકળ્યા બાદ ગુમ

  • May 13, 2022 

સુરતનાં ઓલપાડ તાલુકાનાં તળાદ ગામે રહેતી પરિણીતા બે બાળકો સાથે ગુમ થતાં ચકચાર મચી ગઈ હતી. જયારે પતિ સાથે ઝગડો થતાં તે બંને બાળકો સાથે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી અને તેની શોધખોળ કરવા છતાં હજુ સુધી કોઈ ભાળ મળી નથી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડનાં તળાદ ગામે ગુજરાતી સ્કૂલની સામે રહેતા હરીશભાઈ પરશોત્તમભાઈ રાઠોડ અને તેમની પત્ની મનીષાબેન વચ્ચે ગત તા.8 મે ના રોજ બોલાચાલી ઝગડો થયો હતો.



જે વાતને લઈ મનીષાબેન તેના બે બાળકો પ્રિન્સ (ઉ.વ.14) તથા દિવ્યમ (ઉ.વ.7) સાથે ઘરેથી નીકળી તળાદ ગામના પાટીયા પાસે તળાદ સ્કુલ સામે ઓલપાડથી સુરત જતા રોડ ઉપર આવ્યા બાદ કોઈને કાઈ કહ્યા વગર ક્યાંક ચાલી જઈ ગુમ થઈ ગઈ છે. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં આ ત્રણેયની કોઈ ભાળ ન મળતા પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application