Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં ચલથાણ ખાતે આયુર્વેદ અને હોમિયોપેથીક સારવારનો મેગા કેમ્પ યોજાયો

  • December 01, 2021 

સુરતનાં પલસાણા તાલુકાનાં ચલથાણ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આયુર્વેદ અને હોમિયોપેથીક સારવારનો મેગા કેમ્પ યોજાયો હતો. પલસાણામાં ચલથાણ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમના ભાગરૂપે ગતરોજ સવારે ચલથાણ ખાતે ચંચળેશ્વર મહાદેવ મંદીર ગ્રામ પંચાયત સામે પલસાણા તાલુકાના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લાના આયુર્વેદ તથા હોમીયોપેથી મેડિકલ ઓફિસરો દ્વારા સર્વ રોગ જેમાં ખાસ કરીને પેટના રોગો, સાંધાનાં દુખાવા,  સ્ત્રી રોગો, ચામડીનાં રોગો, ડાયાબિટસ, બાળકોનાં રોગો વગેરેનું નિદાન અને સારવાર વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી.આ કેમ્પની અંદર લોકોને નિઃશુલ્ક રીતે દવાનું વિતરણ કરી ઇમ્યુનિટી પાવર માટે ઉકાળાઓ પણ પીવડાવવામાં આવ્યા હતા. સવારે આ કેમ્પ ચાલુ થતા જ લોકો પણ ઉત્સાહભેર કેમ્પમાં આપવામાં આવતી સેવાનો લાભ માટે પહોંચી ગયા હતા. આ મેઘા કેમ્પમાં ડો.કાજલ મઢીકર આયુર્વેદ દવાખાનું જોળવા તેમજ દસ્તાનના ડો.રિંકુ ઘેલાણી આયુર્વેદ દવાખાનું અમલસાડી ડો.કિંજલ દેવાણી આયુર્વેદ દવાખાનું બલેશ્વર અને ડો.રચના રાણા હોમિયોપથી દવાખાનું બગુમરા નાઓએ નિઃશુલ્ક સેવા આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application