Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અનાવલ પાંચકાકડા ખાતે ઔષધીય વનસ્પતિ વાવી અનોખી રીતે વૃક્ષારોપણ કરાયું

  • June 30, 2021 

આજે પર્યાવરણ બચાવવું અતિ આવશ્યક થઈ પડ્યું છે તેવા સમયે ઔષધીય વૃક્ષારોપણ હાથ ધરી અનોખી પહેલ આયુર્વેદ જતન તરફે હાથ ધરવામાં આવી હતી. સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન, રૂપવેલ અને આયુર્વેદ શાખા, નવસારી દ્વારા નિરાધાર બા-બાપુજી સેવાશ્રમ, અનાવલ-પાંચકાકડા ખાતે ઔષધીય વનસ્પતિનું વૃક્ષારોપણ વિશિષ્ટ રીતે કરવામાં આવ્યું હતું. નિરાધાર સેવાશ્રમ ખાતે વિવિધ પ્રકારના ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષો જેવા કે બહેડા, આમળાં, હરડે, બીલી, અરડૂસી, સતાવરી જેવા વીસ પ્રકારના એક સો પચ્ચીસ જેટલાં રોપવામાં આવ્યાં હતાં.

 

 

 

 

નિરાધાર સેવાશ્રમ ખાતે રહેતા વડીલો તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી વૈદ નયનાબેન પટેલ દ્વારા વિવિધ ઔષધીય વનસ્પતિના વાવેતર અંગે જરુરી સમજ આપવામાં આવી હતી. તેમજ વિવિધ વનસ્પતિના ઔષધીય ગુણો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન, રૂપવેલના સુપરવાઇઝર કનકસિંહ સુતરીયા દ્વારા ઔષધીય વનસ્પતિની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેશભાઈ પટેલ, ભગવતીબેન પટેલ, સેવાશ્રમના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ, નિવૃત્ત મામલતદાર સી.ટી. રાણા, પી.એલ. પટેલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચાપલધરા સરકારી આયુર્વેદ દવાખાનુંના મેડીકલ ઓફિસર વૈદ પ્રકાશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application