Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંગરોળનાં ભીલવાડા ગામે ભેંસને વીજ કરંટ લાગતાં ઘટના સ્થળે મોત

  • June 18, 2021 

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં ભીલવાડા ગામમાં વીજ કરંટ લાગતાં એક ભેંસનું ઘટના સ્થળે મોત થયું હતું. ચારો ચરવા ગયેલી ભેંસ ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર (ડી.પી)ને અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો.

 

 

 

 

માંગરોળ તાલુકાનાં ભીલવાડા ગામે પાણી આંબલી ફળિયામાં રહેતા, હર્ષદભાઈ પ્રભાકરભાઈ પંડ્યા જેઓ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે અને તેમને ત્યાં કામ કરતો ગોવાળ ભેંસોને ચરાવવા લઈ જઈ રહ્યો હતો. ત્યારે ગ્રામપંચાયત મકાન નજીક આવેલ ખુલ્લી જગ્યામાંથી ભેંસ પસાર થઈ રહી હતી. તે સમયે ભેંસ ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર (ડી.પી)ને અડી જતાં વીજ કરંટ લાગતા ભેંસનું મોત નીપજયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application