Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં એનઆરઆઈ પરિવાર વીરપુર દર્શને ગયા અને ઘરમાંથી તસ્કરો ચોરી કરી ફરાર

  • December 30, 2021 

બારડોલી તાલુકાના નિઝર ગામનું એનઆરઆઈ પરિવાર અમેરિકાથી 15 દિવસ પહેલાં જ પોતાના ઘરે આવ્યું હતું અને આ પરિવાર વીરપુરમાં જલારામબાપાનાં દર્શન કરવા માટે મધ્યરાત્રીએ 2 વાગ્યે ઘર બંધ કરીને નીકળ્યા હતા. જોકે તેમના નીકળ્યા બાદ અજાણ્યા તસ્કરો આવી ઘરમાંથી રોકડ અને ડોલર તેમજ સોનાના ઘરેણાંની ચોરી કરી ભાગી ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી નજીક આવેલ નિઝર ગામના મૂળ અને અમેરિકા સ્થાયી થયેલ પંકજભાઈ દયારામભાઈ પટેલનો પરિવાર 15 દિવસ પહેલા જ તા.6 ડિસેમ્બરના રોજ વિદેશથી ઘરે આવ્યા હતા. પરંતુ અમેરિકા પરત જવા પહેલા એનઆરઆઈ પરિવાર વીરપુરમાં જલારામ બાપાના દર્શન કરવાની ઈચ્છા હતી જેથી સંબંધી સાથે પરિવાર બુધવારની મધ્યરાત્રીએ 2 વાગ્યે ઘર બંધ કરીને નીકળ્યા હતા. એનઆરઆઈ પરિવાર નીકળ્યાને થોડા સમયમાં જ અજાણ્યા તસ્કરો બંધ ઘરના દરવાજાને મારેલ 2 તાળા તોડીને તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા.ત્યારબાદ ઘરમાં 2 સ્ટીલના કબાટ અને લાકડાના કબાટ તોડી અંદર મુકેલ રોકડ રકમ અને ડોલર તેમજ સોનાના ઘરેણાંની ચોરી કરી ભાગી ગયા હતા અને સવારે ચોરીની જાણ થતા જ એનઆરઆઈ પરિવારને જાણ કરી હતી. જેથી પરિવાર સારંગપુર હનુમાનજીના દર્શન કરી, યાત્રા અધૂરી છોડી પરત ઘરે આવવા નીકળ્યું હોવાનું જાણવા મળેલ છે. એનઆરઆઈ પરિવારના સંબંધી તાત્કાલિક સવારે આવી બારડોલી પોલીસને જાણ કરતા સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. સંબધીના જણાવ્યા મુજબ, ઘરમાં રોકડા અને ડોલર મળી પાંચ લાખની આસપાસ અને 20 તોલા સોનાની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જ્યારે વીરપુરથી પરત આવતા પરિવાર દ્વારા અપાતી અધિકૃત ફરિયાદમાં ચોરીની રકમની ચોક્કસ માહિતી પ્રાપ્ત થશે તેવું જાણવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application