Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલાના અંગદાનથી 3 વ્યક્તિને નવજીવન મળ્યું

  • July 31, 2021 

સુરત શહેરનાં કતારગામના ખંભાતી ક્ષત્રિય સમાજનાં આધેડના અંગદાનથી ૩ વ્યક્તિઓને નવજીવન મળ્યુ છે. પરિવારે અંગદાનનો નિર્ણય લઇ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

 

 

 

 

કતારગામના લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર ભુલાભાઇ દેસાઇ પાર્ક સોસાયટીમાં રહેતા 49 વર્ષીય દિપીકાબેન ભરતભાઇ ધારીયાને ગત તા.25મીએ સવારે શ્વાસ લેવાની તકલીફ થયા પછી બેભાન થઇ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ તેમનું બંધ થયેલું હૃદય સી.પી.આર આપી ફરીથી ધબકતુ કર્યુ હતુ. પણ તા.29મીએ તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. ડોનેટ લાઇફના સંપર્ક બાદ તેનો પરિવાર અંગદાન માટે સંમત થયો હતો. તેમનું લિવર સુરતના 50 વર્ષીય રહીશને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી બેન્કે સ્વીકાર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application