Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યાના ત્રાસથી કંટાળીને ઉંઘમાં લાકડાના ફટકા મારી ત્રણ ઈસમોએ અજાણ્યાની હત્યા કરી

  • August 10, 2021 

સુરત શહેરના ભાઠેના પંચશીલનગર પાસે ચાર દિવસ પહેલા અજાણ્યાની લાકડાના ફટકા મારી હત્યા કરવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક દારૂ પીને મારઝુડ કરવાની સાથે પૈસા પણ લૂંટી લેતો હોવાથી તેના રોજના ત્રાસથી કંટાળીને તેની હત્યા કરવાનું નક્કી કરી તેને ઉંધમાં જ લાકડાના ફટકા મારી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તારીખ 5મીના રોજ સવારે સાડા સાતેક વાગ્યે પંચશીલનગર ગુડલક કમ્પાઉન્ડર મનહર ડાંગ મીલની પાછળ રોડ ઉપરથી અજાણ્યાની માથામાં લાકડ઼ાના ફટકા મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા ખટોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી લાશને પીમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પીઆઈ ટી.વી.પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફ પીએસઆઈ એ મૃતકની ઓળખ કરવાની સાથે હત્યારાઓને ઝડપી પાડવા માટે ઘટના સ્થળ તેમજ આજુબાજુમાં પુછપરછ કરી હતી. તપાસ દરમિયાન ત્રણ અજા્ણ્યાઓ દેખાતા સીસીફુટેજના આધારે ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન બાતમીના આધારે હત્યામાં સંડોવાયેલા ત્રણ પૈકી ગુલ્લુ લક્ષ્મણ નાહક (ઉ.વ.32) અને તપન હરજી પરીદા (ઉ.વ.35)ને પંચશીલનગરમાં આવેલ લોજમાં જમવા માટે આવતી વખતે ઝડપી પાડ્યા હતા જયારે અન્ય કાના નામના આરોપીઓને ઝડપી પાડવાની તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે, આરોપીઓની પુછપરછમાં મૃતક અજાણ્યો રોજના દારૂ પીને આવી મારઝુડ કરતો તેમજ પૈસા લૂંટી લેતો હતો તેના રોજના ત્રાસથી ત્રણેય જણા કંટાળી ગયા હતા અને તેની હત્યા કરવાનું નક્કી કર્યા બાદ બનાવના દિવસે રાત્રે તે સુઈ જતા તેની લાકડાના ફટકા મારી હત્યા કરી હતી અને હત્યા કરતા પહેલા તે ભરઉંઘમાં છે કે નહી તેની પણ ખરાઈ કર્યા બાદ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application